મહારાષ્ટ્ર સરકારની ફાઈલો હવે DyCM પવાર અને DyCM શિંદે પાસે થઈને CM ફડણવીસ પાસે જશે

મહારાષ્ટ્ર સરકારે હાલમાં એક નવો આદેશ બહાર પાડયો છે કે હવે બધી ફાઇલો CM દેવેન્દ્ર ફડણવીસ પાસે જતા પહેલા DyCM એકનાથ શિંદેને મોકલવામાં આવશે. આ અગાઉ, ફાઇલો નાણામંત્રી તરીકે DyCM અજિત પવારને અને પછી CM દેવેન્દ્ર ફડણવીસને મોકલવામાં આવી હતી. હવે બહાર પડાયેલા નવા આદેશ મુજબ, બધી ફાઇલો CM દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચતા પહેલા DyCM પવાર અને પછી DyCM શિંદે પાસે જશે.

રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા બહાર પડાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, '26.07.2023ના રોજના નિયમો અનુસાર, પ્રક્રિયા અંગે અને CM દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર, DyCM અને મંત્રી (નાણા) અને પછી DyCM અને મંત્રી (ગૃહ, કાયદો અને ન્યાય) દ્વારા CM દેવેન્દ્ર ફડણવીસને વિષયો મોકલવામાં આવ્યા હતા. આ આદેશમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, હવે મહારાષ્ટ્ર સરકારના નિયમોના બીજા અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ વિષયો DyCM (નાણા)ને જશે, DyCM (શહેરી વિકાસ, ગૃહ)ને જશે અને પછી CM દેવેન્દ્ર ફડણવીસને તેમની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.'

DyCM-Pawar,-DyCM-Shinde1
hindi.news18.com

રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે, DyCM શિંદે અને DyCM અજિત પવાર વચ્ચે સમાનતા લાવવાનો પ્રયાસ છે. અગાઉની મહાયુતિ સરકારમાં, ફાઇલો DyCM તરીકે અજિત પવાર અને DyCM દેવેન્દ્ર ફડણવીસ પાસે જતી હતી અને પછી CM શિંદે પાસે જતી હતી. રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, નવા આદેશો સાથે, DyCM શિંદેને સરકારમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવી છે અને તેમને સરકારમાં યોગ્ય દરજ્જો અને મહત્વ આપવામાં આવી રહ્યો છે.

ડિસેમ્બરમાં મહાયુતિ સત્તામાં આવી ત્યારથી DyCM શિંદે અને CM દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે તણાવના અહેવાલો આવી રહ્યા છે. મહાયુતિ સરકારે તમામ 36 જિલ્લાઓ માટે વાલી મંત્રીઓની નિમણૂક કર્યાના એક દિવસ પછી, શિવસેના સાથે મહાયુતિમાં આંતરિક વિવાદને કારણે નાશિક અને રાયગઢની નિમણૂકો સ્થગિત કરવામાં આવી હતી.

DyCM-Pawar,-DyCM-Shinde,-CM-Fadnavis
navbharattimes.indiatimes.com

ત્યાર પછી, સરકારે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના અધ્યક્ષ તરીકે અધિક મુખ્ય સચિવ (પરિવહન) સંજય સેઠીની નિમણૂક કરી, જ્યારે શિવસેનાના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક આ પદ મેળવવા માટે ઉત્સુક હતા. ઉપરાંત, DyCM શિંદેને નવી-પુનર્ગઠિત મહારાષ્ટ્ર રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA)માંથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછીથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Related Posts

Top News

અમેરિકાને કારણે 4 વખત દુનિયામાં મંદી આવી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના એક નિર્ણયને કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વિશ્વના અર્થતંત્રને ટ્રમ્પે રમણભ્રમણ કરી નાંખ્યું...
World 
અમેરિકાને કારણે 4 વખત દુનિયામાં મંદી આવી હતી

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા

જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિક પર BJPના ધારાસભ્યોએ કથિત રીતે હુમલો કર્યો હોવાનો આરોપ...
National 
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા

વક્‍ફ અધિનિયમનો વિરોધ કરતા મુસ્લિમોને વિશ્વ હિન્દુ પરિષદે આપી આ સલાહ

વક્‍ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની...
National 
વક્‍ફ અધિનિયમનો વિરોધ કરતા મુસ્લિમોને વિશ્વ હિન્દુ પરિષદે આપી આ સલાહ

સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

સુરતના વરાછા વિસ્તારમાં એક સમાચારે હડકંપ મચી ગયો છે. અનબ જેમ્સ નામની ડાયમંડ કંપનીમાં બુધવારે  લગભગ 104 રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં...
Gujarat 
સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

Opinion

કરુણતા... સુરત સૌરાષ્ટ્રના યુવાનો અભ્યાસ સાથે ફી ભરવા પોતે નોકરીએ લાગ્યા! કરુણતા... સુરત સૌરાષ્ટ્રના યુવાનો અભ્યાસ સાથે ફી ભરવા પોતે નોકરીએ લાગ્યા!
આજના સમયમાં સૌરાષ્ટ્રથી સુરત આવેલા હીરાઉદ્યોગ સાથે જોડાયેલા કામદારોના પરિવારો ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિવારોની આર્થિક...
કોંગ્રેસનું અમદાવાદ અધિવેશન: ગુજરાતમાં અપરાજિત ભાજપને હરાવવા રાહુલ ગાંધી અને કોંગ્રેસ કમર તો કસે છે પણ......
જે ઉદ્યોગપતિ પ્રત્યક્ષ રાજકારણમાં જોડાય એમનો વેપારઉદ્યોગ સંકટમાં કે ખોટમાં સપડાય છે
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Copyright (c) Khabarchhe All Rights Reserved.