ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

On

અમેરિકન લેખક અને પત્રકાર ડૉ. નાઓમી વોલ્ફે એક મીડિયા ચેનલના સમારોહમાં તેમના પુસ્તક 'ફાઇઝર પેપર્સ'માંથી તારણો રજૂ કર્યા. આ પુસ્તકમાં mRNA COVID-19 રસીની સલામતી અને અસરકારકતા પર વ્યાપક સંશોધન છે. ડૉ. વોલ્ફે રસીની પ્રજનન સ્વાસ્થ્ય પર અસર અને તેની ઝડપી મંજૂરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી.

લાંબા સમયથી મહિલાઓના સ્વાસ્થ્ય પર કામ કરી રહેલા વોલ્ફે જણાવ્યું હતું કે mRNA રસી લીધા પછી તેમણે મહિલાઓમાં માસિક સ્રાવની સમસ્યાઓ અને અન્ય પ્રજનન સમસ્યાઓના અહેવાલો જોયા, ત્યારપછી તેમણે તેના પર સંશોધન શરૂ કર્યું. તાજેતરના વર્ષોમાં, તે કોવિડ-19 રસી અને જાહેર આરોગ્ય પગલાં અંગેના તેમના મંતવ્યોને કારણે પણ વિવાદમાં રહી છે.

Dr-Naomi-Wolf
thejbt.com

ડૉ. વોલ્ફે જણાવ્યું હતું કે, તેમણે 3,250 ડોકટરો અને વૈજ્ઞાનિકો સાથે મળીને 109 રિપોર્ટ તૈયાર કર્યા છે, જેમાં રસી સંબંધિત ઘણા ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે. તેમના મતે, ફાઇઝર રસી U.S.માં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન હેઠળ લોન્ચ કરવામાં આવી હતી, જેનાથી 10-15 વર્ષની સામાન્ય સલામતી પરીક્ષણ પ્રક્રિયાને બાયપાસ કરવામાં આવી હતી.

તેમણે દાવો કર્યો હતો કે ફાઇઝર પેપર્સમાં રસીથી થતા નુકસાન અને ખાસ કરીને પ્રજનન ક્ષમતા પર તેની અસર વિશે ઘણા ચોંકાવનારા ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ડૉ. વોલ્ફ, જેમણે પોતે કોવિડ-19 રસી લીધી નથી, તેમણે દાવો કર્યો હતો કે, વિશ્વભરમાં જન્મ દર 13 ટકાથી 20 ટકા ઘટી ગયો છે અને આ માટે રસીની પ્રતિકૂળ અસરોને જવાબદાર ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું કે, શરૂઆતમાં વિપરીત દાવાઓ હોવા છતાં, કોવિડ-19ના સંક્રમણને રોકવામાં રસી અસરકારક સાબિત થઈ નથી.

Dr-Naomi-Wolf1
hindi.news18.com

જ્યારે રસીના વિકલ્પો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મુદ્દો રસીઓને સંપૂર્ણપણે નકારવાનો નથી, પરંતુ કેટલીક રસીઓની ખામીઓને સ્વીકારવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય રસીઓ અલગ રીતે કામ કરી શકે છે અને તેમની ટીમ તેના પર સંશોધન કરવા માટે તૈયાર છે. તેમણે એસ્ટ્રાઝેનેકા રસીનો પણ ઉલ્લેખ કર્યો, જે પાછળથી બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી, અને ભાર મૂક્યો કે કોઈપણ રસી માટે સખત સલામતી પરીક્ષણ જરૂરી છે.

Dr-Naomi-Wolf3
indiatoday.in

ચેપ અટકાવવાના ઉપાયો વિશે વાત કરતાં તેમણે કહ્યું, 'મેં 400 વર્ષનું અંગ્રેજી સાહિત્ય વાંચ્યું છે અને ઇતિહાસ આપણને કહે છે કે, માનવતાએ ટાયફસ, કોલેરા અને ન્યુમોનિયા જેવા રોગોનો સામનો કર્યો છે. આપણે જાણીએ છીએ કે, ચેપી રોગો કેવી રીતે ફેલાય છે. લોકોને નાના ઘરોમાં બંધ રાખવા, તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડવા અને સ્વચ્છતા પર ધ્યાન ન આપવા, આનાથી રોગોમાં વધુ વધારો થાય છે.'

Dr-Naomi-Wolf2'
aajtak.in

ડૉ. વોલ્ફે અમેરિકન મીડિયા અને બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પર પણ પ્રહાર કરતા કહ્યું કે, 'બિલ ગેટ્સ mRNA રસીમાં મોટા રોકાણકાર હતા અને રસીના ખચકાટને પ્રોત્સાહન આપવા માટે સમાચાર માધ્યમોમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું.' આ ઉપરાંત, તેમણે શિક્ષણવિદો પર રસીના ક્લિનિકલ ટ્રાયલ ડેટા ખોટી રીતે રજૂ કરવાનો પણ આરોપ લગાવ્યો.

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.