વિવાદિત નિવેદન બાદ ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, થયા ભાવુક

વિધાનસભા સત્ર દરમિયાન ઉત્તરાખંડ સરકારના મંત્રી પ્રેમચંદ અગ્રવાલે વિવાદિત નિવેદન આપ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું પદ છોડવા અગાઉ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. ફેબ્રુઆરી મહિનામાં, વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષી ધારાસભ્યો સાથેની દલિલ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'શું આ રાજ્ય પહાડીઓ માટે બનાવવામાં આવ્યું છે?' આ નિવેદનથી રાજ્યમાં આક્રોશ ફેલાઈ ગયો અને અલગ અલગ સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ રાજીનામાની માગ કરી હતી.

Minister Premchand Aggarwal
livehindustan.com

પ્રેમચંદ અગ્રવાલ રાજ્ય સરકારમાં નાણા અને સંસદીય બાબતોના મંત્રી હતા. તેમણે આ વિવાદ બાદ ભાવુક થઈને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ માહોલ બનાવવામાં આવ્યો છે. તેમણે પોતાને રાજ્યના આંદોલનકારી બતાવતા રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. રવિવારે પોતાના આવાસ પર પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી પ્રેમચંદ અગ્રવાલે કહ્યું કે, ઉત્તરાખંડના અલગ રાજ્ય માટે આંદોલન માટે 1994 થી સતત આંદોલન કર્યું હતું. રાષ્ટ્રીય વોલિબોલના ખેલાડી હતા. તત્કાલીન સરકારે તેમના પર NSA લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. હંમેશાં રાજ્ય માટે લડ્યા. ત્યારબાદ મારી વિરુદ્ધ આવો માહોલ બનાવવામાં આવ્યો કે આજે મારે રાજીનામું આપવું પડી રહ્યું છે.

Minister Premchand Aggarwal
indiatoday.in

તમને જણાવી દઈએ કે, અગ્રવાલના નિવેદનને લઈને પ્રસિદ્ધ લોક ગાયક નરેન્દ્ર સિંહ નેગીનું એક ગીત પણ હોળી પર વાયરલ થયું હતું જેમાં તેમના બોલ હતા 'મત મારો પ્રેમ લાલ પિચકારી' નરેન્દ્ર સિંહ નેગી જ એ વ્યક્તિ છે જેમના ગીતથી 2010ના દાયકામાં તત્કાલિન મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીની સરકાર હાલી ગઈ હતી. ભાજપના રાજ્ય નેતૃત્વએ પણ તેમને બોલાવીને નિવેદનો પર સંયમ રાખવા અને યોગ્ય શબ્દાવલીનો ઉપયોગ કરવા કડક સૂચના આપી છે.

Related Posts

Top News

પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

પહેલગામની ઘટનામાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. તેના હજુ 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને...
National 
પહેલગામના પીડિત પિતાનો આક્રોશ- બે કોડીના લોકો PMને પડકાર ફેંકીને ગયા

આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

2 સરકારી બેન્ક, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેન્કે પોતાના ગ્રાહકોને રાહત આપી છે. બેન્કોએ ગુરુવારે પોતાના રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ...
Business 
આ બે સરકારી બેન્કો પાસે હોમ અને કાર લોન લેવી થઈ ગઇ સસ્તી

સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ...
Gujarat 
સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઈને રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં 'સર્વશ્રેષ્ઠ વક્તા'નો ખિતાબ જીતી લીધો

હજીરા-સુરત, એપ્રિલ 24, 2025: AMNS ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ-9ની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઇએ ઇન્ડિયન ડિબેટિંગ લીગ દ્વારા આયોજિત ફ્રેન્કીનસ્ટાઇન ડિબેટ ટૂર્નામેન્ટના ફાઇનલ...
Education 
AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઈને રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં 'સર્વશ્રેષ્ઠ વક્તા'નો ખિતાબ જીતી લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.