નાગપુર હિંસા પાછળ કોણ છે અને કેવા પ્રકારનું કાવતરું છે; DyCM શિંદેએ કર્યો મોટો ખુલાસો

On

નાગપુર હિંસા પાછળ કોણ છે? નાગપુરમાં હિંસા ફેલાવવાનું આ કેવું કાવતરું છે? આજ સુધી આ પ્રશ્નોના જવાબો મળ્યા નથી. પરંતુ મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેએ ઔરંગઝેબની કબર પર થયેલી હિંસા અંગે મોટો સંકેત આપ્યો છે. સોમવારે સાંજે મહારાષ્ટ્રના નાગપુરના કેટલાક ભાગોમાં હિંસક અથડામણ થઈ હતી અને ટૂંક સમયમાં જ તેણે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હવે DyCM એકનાથ શિંદેએ મંગળવારે આ ઘટનામાં કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે.

નાગપુર હિંસા પર પત્રકારો સાથે વાત કરતા DyCM એકનાથ શિંદેએ કહ્યું, 'આ એક ષડયંત્ર લાગે છે. આ આખી ઘટના સંપૂર્ણ આયોજન સાથે બની છે. પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકો બહારથી આવ્યા હતા. જે રીતે પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો, તેનાથી અસામાજિક લોકો આ ષડયંત્રમાં સામેલ છે.'

DyCM-Eknath-Shinde1
aajtak.in

DyCM એકનાથ શિંદેએ વધુમાં કહ્યું, 'નાગપુરના મહલ વિસ્તારમાં પથ્થરમારો થયો છે. વાહનોને નુકસાન થયું છે. પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. લોકોએ બે સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.' તેમણે કહ્યું કે, 'ઔરંગઝેબના ગુણગાન ન કરવા જોઈએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

જ્યારે DyCM એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું કે અથડામણ કેવી રીતે થઈ, ત્યારે તેમણે કહ્યું, 'બપોરે ઔરંગઝેબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયું હતું. આ સમય દરમિયાન, બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ. પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી, પરંતુ સાંજ સુધીમાં ફરી એક વાર આ વિસ્તારમાં ભીડ એકઠી થઈ ગઈ.'

DyCM-Eknath-Shinde2
tv9hindi.com

અગાઉ, મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના ગુણગાન કરનારાઓની કડક નિંદા કરી હતી અને તેમને 'દેશદ્રોહી' કહ્યા હતા. તેમણે કહ્યું કે ઔરંગઝેબ મહારાષ્ટ્રનો નાશ કરવાના ઈરાદાથી આવ્યો હતો, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ એક દૈવી શક્તિ હતા, જેમણે તેમના અત્યાચારોનો વિરોધ કર્યો.

હકીકતમાં, મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર સામે વિરોધ પ્રદર્શન પછી મંગળવારે શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. આ પછી, નાગપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન ઘણા ઘરો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હાલમાં, પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસે લગભગ 50 લોકોની અટકાયત કરી છે.

Related Posts

Top News

પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિની બોડી ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધું

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ઘરમાં થીજી ગયેલા સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી મૃત શરીરના ભાગો મળી આવ્યાના સમાચારે હંગામો મચાવી દીધો...
National 
પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિની બોડી ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધું

આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી

એમેઝોનના કર્મચારીઓ માટે ફરી એક વખત છટણીના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એમેઝોન વર્ષ 2025ની...
Business 
આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી

ધારાસભ્ય કુમાર કાનાણીઃ કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના સુરત જિલ્લાના વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ કુમારભાઈ કાનાણી એક એવા નેતા છે જેમણે પોતાની સાદગી...
Gujarat  Opinion 
ધારાસભ્ય કુમાર કાનાણીઃ કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત

કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતને લઈને વિરોધ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સોમવારે હુગલી જિલ્લાના ફુરફુરા...
National  Politics 
કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.