લોકોની સેવા ફળીઃ સોનૂ સૂદ બચ્ચન કે પ્રિયંકા કરતા પણ મોટો ગ્લોબલ સ્ટાર બની ગયો

On

ફિલ્મ અભિનેતા સોનૂ સૂદને આ વર્ષના ગ્લોબલ એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.કોરોના મહામારીના સમયગાળામાં જયારે લોકો લોકડાઉનમાં શ્રમિક પરિવારો વતન જવા માટે લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે સોનૂએ તેમને વતન પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી હતી. હજારો લોકો માટે સોનૂ મસિહા બની ગયા હતા. તેમની આ પ્રસંશનીય કામગીરીને કારણે તેમને આ બહુમાન મળ્યું છે. તાજેતરમાં આંધ્રપ્રદેશની એક કોલેજના ડિપાર્ટમેન્ટનું નામ સોનું સૂદ રાખવામાં આવ્યું છે. ગ્લોબલ એશિયન સેલિબ્રિટીની સૂચીમાં અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા અને અરમાન મલિક જેવા મહાનુભાવો રેસમાં હતા, પણ સોનૂ તેમને પછાડીને પહેલી પસંદ બન્યા છે.

કોરોના વાયરસ મહામારીમાં જયા દરેક જણ પોતાની સાવધાની રાખતા હતા અને ઘરે જ રહેવાનું પસંદ કરતા હતા તેવા સમયે સોનૂ સૂદ લોકડાઉનથી પીડિત પ્રવાસી મજૂરોની સહાયતા કરતા નજરે પડયા હતા. શ્રમિકોના આવવા જવાની વ્યવસ્થા તો સોનૂએ કરી ઉપરાંત વિદેશમાં ફસાયેલો લોકોની પણ સોનૂએ મદદ કરી હતી.દરેક વ્યકિત સોનુ પર મદદની આશા રાખીને બેઠા હતા. સોનૂએ શ્રમિકોને વતનમાં પહોંચાડવાની સહાયતા તો કરી જ, પરંતું તેમના બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું. આ બધી બાબતો તેમના પક્ષમાં ગઇ છે અને આખરે તેમને ગ્લોબલ એશિયન સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સોનૂ સૂદનો 50 એશિયન સેલિબ્રિટીઝમાં પહેલો નંબર આવ્યો છે. યુ.કે.ની ઇસ્ટર્ન આઇ નામની વેબસાઇટે આ સૂચી જાહેર કરી છે. સોનૂ સૂદને જયારે આ જાણકારી મળી ત્યારે તેમણે વેબસાઇટનો આભાર વ્યકત કરતા કહ્યું કે, જયારે દેશમાં કોરોના વાયરસ ફેલાયો હતો ત્યારે મને મારી જવાબદારીનો ખ્યાલ આવ્યો કે દેશવાસીઓની સેવા કરવી મારો ધર્મ છે. મને આંતર સ્ફુરણા થઇ કે મારે મદદ કરવી જોઇએ એટલે મુંબઇ આવ્યો હતો. એ એક ભારતીય તરીકે મારું કતર્વ્ય હતું. પરંતું આ કામ છેલ્લાં શ્વાસ સુધી ચાલું રાખીશ.

ગ્લોબલ એશિયન સેલિબ્રિટીઝે જે યાદી જાહેર કરી છે તેમાં સોનૂ સૂદ પહેલા નંબરે તે પછી લિલ્લી સિંહ,ચાર્લી, દેવ પટેલ, અરમાન મલિક, પ્રિયંકા ચોપડા,પ્રભાસ, મિંડી કાલિંગ, સુરભિ ચંદના અને કુમારી નાનજિયાની. ઉપરાંત ટોપ 50માં આયુષ્માન ખુરાના, દિલજીત દોસાંજ, શહનાઝ ગિલ, અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી, મસાબા ગુપ્તા,ધ્વનિ ભાનુશાળી, હેલી શાહ અને  અનુષ્કા શર્મા જેવા નામ સામેલ છે.

 

 

 

More News

હાથરસ ભાગદોડમાં 121 લોકોનો ભોગ લેવાયો પણ ભોલે બાબાને ક્લિનચીટ મળી ગઈ

Top News

હાથરસ ભાગદોડમાં 121 લોકોનો ભોગ લેવાયો પણ ભોલે બાબાને ક્લિનચીટ મળી ગઈ

ઉત્તર પ્રદેશના હાથરસમાં 24 જુલાઇ 2024ના દિવસે સાકાર નારાયણ વિશ્વ હરી જેમને ભોલે બાબા તરીકે લોકો ઓળખે છે તેમના...
હાથરસ ભાગદોડમાં 121 લોકોનો ભોગ લેવાયો પણ ભોલે બાબાને ક્લિનચીટ મળી ગઈ

માતાને ઘરમાં ભુખી તરસી છોડીને દીકરો પરિવાર સાથે મહાકુંભમાં પૂણ્ય કમાવા ગયો

ઝારખંડના એક ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની 65 વર્ષની માતાને ઘરમાં ગોંધીને એક દીકરો પોતાના પરિવાર સાથે મહાકુંભમાં...
National 
માતાને ઘરમાં ભુખી તરસી છોડીને દીકરો પરિવાર સાથે મહાકુંભમાં પૂણ્ય કમાવા ગયો

ભારતીય મૂળની વસુંધરા ઓસ્વાલ કોણ છે? યુગાન્ડાની જેલ તેના માટે બની નર્ક

ભારતીય મૂળના અબજપતિ બિઝનેસમેન પંકજ ઓસવાલની પુત્રી વસુંધરા ઓસવાલ આ દિવસોમાં લાઇમલાઇટમાં છે. સોશિયલ મીડિયા પર વસુંધરાએ યુગાન્ડા જેલમાં વિતાવેલા...
World 
ભારતીય મૂળની વસુંધરા ઓસ્વાલ કોણ છે? યુગાન્ડાની જેલ તેના માટે બની નર્ક

સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી: નીતિન પટેલ

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનો અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમણે મહેસાણાના કડીમાં...
Gujarat 
સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી: નીતિન પટેલ

बिजनेस

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati