- Gujarat
- ભાજપની પહેલી યાદીમાં ગુજરાતના 5 સાંસદોની ટિકીટ કેમ કપાઇ?
ભાજપની પહેલી યાદીમાં ગુજરાતના 5 સાંસદોની ટિકીટ કેમ કપાઇ?

ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામ પહેલી યાદીમાં જાહેર કર્યા છે. જેમાં 10 સાંસદોની રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકીટ કાપીને નવા ચહેરાંને સ્થાન આપવામાં આવ્યું છે.
જે 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે તેમાં કચ્છના વિનોદ ચાવડા, પાટણથી ભરતસિંહ ડાભી, ગાંધીનગરથી અમિત શાહ, જામનગરથી પૂનમ માડમ, આણંદથી મિતેશ પટેલ,ખેડાથી દેવું સિંહ ચૌહાણ, દાહોદથી જશવંત સિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પભુ વસાવા અને નવસારી બેઠક પરથી સી આર પાટીલનો સમાવેશ થાય છે.
જ્યારે જે 5 નામો કાપી નાંખવામાં આવ્યા તેમાં અમદાવાદ વેસ્ટ પરથી ડો. કિરિટ સોલંકીની ટિકીટ કાપીને દિનેશ મકવાણાને આપવામાં આવી છે. ડો. કિરિટ સોલંકીની ઉંમર વધારે હોવાને કારણે ટિકીટ કપાઇ છે. પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડની ટિકીટ કાપીને રાજપાલ સિંહ જાધવને ટિકીટ આપવામાં આવી છે. પોરબંદર બેઠક પરથી રમેશ ધડૂકની ટિકીટ કાપીને મનસુખ માંડવિયાને ટિકીટ આપવામાં આવી છે. બનાસકાંઠામાં પરબત પટેલની ટિકીટ કાપીને ડો. રેખા ચૌધરીને ટિકીટ મળી અને રાજકોટમાં મોહન કુંડારિયાની ટિકીટ કાપીને પુરષોત્તમ રૂપાલાને આપવામાં આવી. પોરબંદર, રાજકોટ અને બનાસકાંઠાના સાંસદોની ટિકીટ એટલા માટે કાપવમાં આવી કે તેમની કામગીરીથી હાઇકમાન્ડ નારાજ હતું.
Related Posts
Top News
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ
Opinion
