દીકરા માટે માનેલી માનતા પૂરી કરવા દંડવત વૈષ્ણોદેવી જવા નીકળ્યા પિતા

On

જ્યારે માણસ બધી જગ્યાએથી હારી જાય છે ત્યારે એક આશા હંમેશાં રાખતો હોય છે કે, હવે તો ભગવાન કરે તે જ ખરું. શ્રદ્ધા માણસને કેટલી શક્તિ આપી શકે અને તેની તાકત શ્રદ્ધા ઉપર રહેલો વિશ્વાસ હોય છે. ભગવાન ઉપર ભરોસો રાખવા માત્રથી વ્યક્તિ પોતાની ક્ષમતા ઉપરાંત ઘણું બધું કામ કરી બતાવે છે. લોકો માનતાઓ માનતા હોય છે, ઉપવાસ કે વ્રત કરતા હોય છે. આ તમામ પાછળ શ્રદ્ધા જ વ્યક્તિ મનોબળ પૂરું પાડે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. દીકરાના સફળ ઓપરેશનની માનતા પૂરી કરવા મહારાષ્ટ્રથી વૈષ્ણોવદેવી સુધી પિતાએ દંડવત યાત્રાની શરૂઆત કરી છે. ચાલો તો જાણીએ શું છે આખો મામલો.

મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા દેવીદાસ શિરપાદ થોરાત (ઉંમર 45)ના પોતાના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. તેના 10 વર્ષીય દીકરાને કરંટ લાગ્યો હતો અને તેમાં તે આખા શરીરે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા નહોતી. ડૉક્ટરોએ પણ ના પાડી દીધી હતી. પિતા સહિત પરિવારના તમામ સભ્યો નિરાશ થઈ ગયા હતા. પોતાના દીકરાને બચાવવા માટે પિતા ગમે તે કરવા તૈયાર હતો. તેથી તેણે પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવાની માનતા રાખી હતી.

માતા વૈષ્ણોદેવીની અસીમ કૃપાથી દીકરાનું ઓપરેશન થયું અને સફળ પ્લાસ્ટિક સર્જરી બાદ દીકરાને નવજીવન મળ્યું છે. તે આ માનતા એક વખત પૂરી કરી ચૂક્યો છે. જેમાં તે પોતાની દીકરીને સાથે લઈને ગયો હતો. જ્યારે આ વખત તે એકલો આ માનતા પૂરી કરવા જઈ રહ્યો છે. જેથી પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે દેવીદાસે મહારાષ્ટ્રથી 4 મહિના અગાઉ દંડવત યાત્રાની શરૂઆત કરી હતી. જેમાં તે પાવાગઢ, અંબાજી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, કટારા સુધી યાત્રા કરી ચૂક્યો છે.

આજે તે તેના સાથી મિત્ર રાજેન્દ્રભાઇ જે તેનો પાડોશી પણ છે. તેની સાથે ગોધરા આવી પહોંચ્યો હતો. જ્યાં એક અખબાર સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, પોતાના દીકરાને કરંટ લાગ્યો હતો, તેના બચવાની કોઈ આશા નહોતી. ડૉક્ટોરોએ પણ ઇનકાર કરી દીધો હતો. જેના કારણે તેણે વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવાની માનતા માની હતી. પોતાના દીકરાની સુરક્ષિત પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઓપરેશન થતા તે વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરવા નીકળ્યો છે. 6 મહિના બાદ તે વૈષ્ણોદેવી પહોંચશે. ઉલ્લેખનીય છે કે, દેવીદાસ આ બીજી વખત વૈષ્ણોદેવીની યાત્રા કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પોતાના દીકરાને કરંટ લાગવાના કારણે ગંભીર રીતે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા ન હતી. જેથી તેણે મહારાષ્ટ્ર-વૈષ્ણોદેવી યાત્રા કરવાની માનતા રાખી હતી. સંજોગોવસાત પોતાના દીકરાને સુરક્ષિત પ્લાસ્ટિક સર્જરી કરી બચી જતા. તે ચાર મહિના અગાઉ જ પોતાના વતન મહારાષ્ટ્રના અમરાવતીથી નીકળ્યો હતો. થ્રીજવી મુકે તેવી ઠંડી હોવા છતા પણ માતાજી ઉપર અપાર શ્રદ્ધા હોવાથી આજે તે ગોધરા આવી પહોંચ્યો હતો અને ત્યાંથી તે આગળ લુણાવાડા તરફ જવા નીકળ્યો હતો. રસ્તામાં આવતા મંદિરો અને ધર્મશાળામાં તે રાત્રિ રોકણ કરે છે અને ત્યાં જ જમે છે. સવાર પડતાની સાથે જ દંડવત યાત્રા શરૂ કરે છે. આમ તેની આ અપાર શ્રદ્ધા જ તેને બળ પુરૂ પાડે છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati