પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ વિદ્યાર્થી જાણી જોઈને ટેબલેટ સબમિટ નહીં કરાવે તો બોર્ડ તરફથી તેનું પરિણામ રોકી શકાય છે. જો કોઈક રીતે પરિણામ જાહેર થશે તો પણ શાળામાં ટેબલેટ જમા કરાવ્યા બાદ જ વિદ્યાર્થીને SLC, DMC અને કેરેક્ટર સર્ટિફિકેટ મળશે. વિદ્યાર્થીઓએ ટેબલેટ સાથે ચાર્જર, સિમ અને અન્ય એસેસરિઝ પણ જમા કરાવવાની રહેશે. શાળાઓના ક્લાસ ઈન્ચાર્જને ટેબલેટ જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. શાળાઓએ પરત કરાયેલા બધા ટેબલેટનો રેકોર્ડ રાખવાનો રહેશે. આ સિવાય વિદ્યાર્થીઓના ડેટા ઓનલાઈન કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

Tablet
tomsguide.com

 

ઈ-લર્નિંગ યોજના હેઠળ જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને ટેબલેટ અને સિમ આપવામાં આવ્યા છે. શૈક્ષણિક સત્ર 2024-25 લગભગ સમાપ્ત થઈ ગયું છે. બોર્ડ અને વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ દરમિયાન, શિક્ષણ નિયામકે ટેબલેટ જમા કરવા અંગે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જાહેર કરી છે. ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થી જે પહેલાથી ભણી રહેલી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખવા માગે છે, તેમની પાસેથી ટેબલેટ લેવામાં નહીં આવે.

Tablet
jagran.com

 

તો ધોરણ 10ના વિદ્યાર્થીઓએ અંતિમ પરીક્ષાના 5 દિવસમાં ટેબલેટ અને સિમ જમા કરાવવાના રહેશે. જો વિદ્યાર્થીઓ તેમની અગાઉની શાળામાં પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માગતા હોય, તો તેમને ટેબલેટ જમા કરાવવાની જરૂરિયાત નથી. ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ટેબલેટ અને સિમ જમા કરાવવાના રહેશે. સિમ 5 દિવસમાં નિષ્ક્રિય થઈ જશે. જિલ્લા શિક્ષણાધિકારી ઇન્દુ બોકને જણાવ્યું કે, શિક્ષણ નિયામક ટેબલેટના સંબંધમાં આદેશો આપવામાં આવ્યા છે. બધી શાળાના આચાર્યોને તેની બાબતે સૂચિત કરી દેવામાં આવ્યા છે.બધા વિદ્યાર્થી સમય પર ટેબલે જમા કરાવે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

Related Posts

Top News

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

એક દિવસમાં જ અમદાવાદ અને સુરતમાંથી 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમને કેન્દ્રના નિર્ણયથી અવગત કરાવ્યા હતા, જેમાં પાકિસ્તાની નાગરિકોને...
Gujarat 
એક દિવસમાં જ અમદાવાદ અને સુરતમાંથી 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયા

વકફ સુધારા બિલ માટે રોડ પર નીકળનારાઓ દેશની સુરક્ષાના વિષયમાં રોડ પર કેમ નથી આવતા?

ભારત આપણું સ્વર્ણિમ રાષ્ટ્ર વિવિધતામાં એકતાનું પ્રતીક છે. પરંતુ તાજેતરની ઘટનાઓએ આ એકતા અને દેશભક્તિના મૂલ્યો પર ઊંડો પ્રશ્ન ઉભો...
Opinion 
વકફ સુધારા બિલ માટે રોડ પર નીકળનારાઓ દેશની સુરક્ષાના વિષયમાં રોડ પર કેમ નથી આવતા?

અમદાવાદના ઝવેરીએ કર્મચારીઓને કાર તો ભેટમાં આપી, પેટ્રોલ, વીમાનો ખર્ચ પણ આપ્યો

અમદાવાદના એક ઝવેરીએ પોતાની કંપનીમાં કામ કરતા 130 કર્મચારીઓને ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા. અમદાવાદની કે કે. જવેલર્સના માલિક...
Gujarat 
અમદાવાદના ઝવેરીએ કર્મચારીઓને કાર તો ભેટમાં આપી, પેટ્રોલ, વીમાનો ખર્ચ પણ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.