ભેટ (Gift) આપવાથી સંબંધો મજબૂત થતા નથી

(Utkarsh Patel) કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને?

ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે.

નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે છે!

વસ્તુની ભેટથી સંબંધો ક્યારેય મજબૂત થતા જ નથી.

ભેટ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ.

નિઃસ્વાર્થભાવે ભેટ આપવામાં ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. મારા જેવો માણસ તો કોઈની ભેટ લેતો જ નથી અને કોઈક ખૂબ લાગણીથી ભેટ આપે તો લાગણીને માન આપવાનું હું ચૂકતો નથી. મને તો ભેટ પણ કોઈકનું ઋણ ચઢ્યા જેવી જણાય અને આપણે કોઈનું ઋણ લેવું નહીં અને રાખવું નહીં. બસ આવું કઈક અમારી વ્યવહાર કુશળતા અને એવું જ અમારું જીવન.

હવે જો આપણે કોઇકને ભેટ આપીએને સારા ભાવથી અને જો સામે વાળી વ્યક્તિ એ ભેટની કદર ના કરે તો કેવું લાગે આપને? હું ભેટ આપી જાણું અને ધ્યાનથી નોંધ લઉ કે મારી ભેટની શું કિંમત કરી ભેટ લેનારે. હા ક્યારેક તો મેં જોયું કે આપણી ભેટ ત્રીજા વ્યક્તિને ભેટમાં અપાતી હોય!! આવો છે આ સંસાર.

લાગણીઓ ભેટના નામે વેચાય અને ધૂળ ધાણી પણ થાય.

વાત સંબંધોની...

સંબંધો મજબૂત થાય છે સમય આપવાથી.

સંબંધ મજબૂત થાય છે એકબીજાને સમજવાથી.

કોઇક ગમતી કે વ્હાલી વ્યક્તિને જો ભેટ આપવી જ હોયને તો તમારો અમૂલ્ય સમય એમને ભેટમાં આપજો.

અને જે વ્યક્તિ એનો સમય તમને આપે તો સમજજો કે એ અમૂલ્ય ભેટ છે અને આવા સંબંધોની આપણે કદર કરવી જોઈએ અને એ ઋણ ચૂકવવાની તક ક્યારેય ચૂકવી જોઈએ નહીં.

પૈસાની ખરીદાયેલી ભેટોથી અંજાશો નહીં.

જે વ્યક્તિ તમને સમય આપે એની લાગણીઓને ક્યારેય ઠેસ પહોચાડશો નહીં.

અગત્યનું:

પૈસાની ખરીદાયેલી ભેટોથી થોડું સાચવીને સમજીને રહેજો અને સમય રૂપી ભેટ આપનારનું ઋણ ક્યારેય ભૂલશો નહીં.

(સુદામા)

Related Posts

Top News

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

SBI ધોનીને વર્ષે 6 કરોડ અને અભિષેકને મહિને 19 લાખ કેમ આપે છે

દેશની સૌથી મોટી સરકારી માલિકીની, અગ્રણી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના 50 કરોડથી વધુ ગ્રાહકો...
Business 
SBI ધોનીને વર્ષે 6 કરોડ અને અભિષેકને મહિને 19 લાખ કેમ આપે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.