જીવનમાં સંબંધોનું મૂલ્ય સમજજો

(Utkarsh Patel)

જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે જીવી લેવું. આ સંબંધોની મૂડી અમૂલ્ય ખજાનો છે એને કોઈ પણ સંજોગોમાં સાચવજો.

પરિવારથી બહારના સંબંધોમાં કાળજી રાખવી જોઈએ. મિત્ર અને ભાગીદાર આપણી સાથે કંઈક મેળવી લેવાના ભાવથી તો નથી જોડાયાને એ સમજી લેવું જોઈએ.

જો આપ સક્ષમ હશો બધી જ રીતે તો કેટલાક મિત્રો પરિચિતો આપને ક્યારેય ઉપયોગી થશો એવા ભાવ સાથે સંબંધો રાખતા હશે અને જો સ્વાર્થભાવ હશે તો તમારી લાગણીઓને ઠેશ પહોચવાની પૂરી શક્યતાઓ રહેશે. મિત્ર સુદામા જેવો હોય તો એનો હાથ પકડજો અને મિત્ર ધનવાન હોય તો એના ધનને નહીં મિત્રને જ પ્રેમ કરજો.

જો આપ કોઈક વેપારમાં નિપૂણ હશો તો કેટલાય લોકો તમારી સાથે જોડાવવા કે ભાગીદારી કરવા તત્પરતા બતાવશે. વેપારમાં ભાગીદારી કરતા પહેલા ધ્યાન રાખજો કે ભાગીદાર નફાનો જ ભાગીદાર છે કે ખોટમાં પણ ખોટ ખાઈને સાથ આપે એમ છે!! માત્ર નફાની આશા રાખનાર ભાગીદારથી છૂટા થઈ જજો અને તડકી છાયડીમાં સાથ આપે એવા ભાગીદારને સથવારે પ્રગતિ કરજો.

જો આપ સામાજિક જીવ કે રાજનીતિમાં અગ્રેસર છો તોતો ભગવાન તમારું ભલું કરે કેમ કે અહીંયા કોઈ કાયમી મિત્ર નથી કે શત્રુ નથી બધુજ સગવડ્યું તકવાદી છે, અહીંયા તમે એકલાજ છો અને એકલા જ રહી જશો!

આ કલયુગી સંસારમાં મોટેભાગે સંબંધોનો ઉપયોગ કરી લેનારા લોકો મળશે એટલે થોડું સાચવીને સમજીને લાગણીઓનો વ્યવહાર કરજો. એનો મતલબ એ નથી કે કોઈ સારા છે જ નહીં. ઘણા સારા લોકો પણ આ સંસારમાં છે જેઓ સંબંધોનું મૂલ્ય સમજે છે અને હરહંમેશ દરેક સંજોગોમાં સાથે રહે છે પછી એ સુખ હોય કે દુઃખ, નફો હોય કે નુકશાન!!

પવિત્ર ભાવના સાથે દરેક ક્ષેત્રે સારા નિઃસ્વાર્થ સંબંધો કેળવજો અને સારું જીવન જીવી લેજો. સંતોષ થશે અને આત્મવિશ્વાસ વધશે. તમે સ્વયં પર ગર્વ થશે અને ઈશ્વરને પણ ગમશો. સૌના આશીર્વાદ અને અમીદૃષ્ટિ રહેશે આપના પર.

અગત્યનું:

આપના ઘરના ઉંબરાની બહાર સંબંધો સૌની સાથે રાખજો પણ લાગણી અને વિશ્વાસ રાખતા પહેલા પરખ જરૂર કરજો તો ક્યારેય દુઃખી નહીં થાઓ.

સુખમય રહે સૌનું જીવન

Related Posts

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.