મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તે વખતે કરેલા કથિત શારીરિક ઉત્પીડનને યાદ કર્યું. શાહે કહ્યું કે, જ્યારે હિતેશ્વર સૈકિયા આસામના CM હતા, ત્યારે તેમને ભૂતપૂર્વ PM ઇન્દિરા ગાંધી વિરુદ્ધ વિરોધ કરવા બદલ સાત દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેમને કડક સજાનો સામનો કરવો પડ્યો હતો.

Amit Shah
freepressjournal.in

શાહે ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું, 'આસામની કોંગ્રેસ સરકારે મને માર પણ માર્યો હતો.' સૈકિયા આસામના CM હતા અને અમે ભૂતપૂર્વ PM ઈન્દિરા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા... આસામની શેરીઓ ઉજ્જડ છે, ઈન્દિરા ગાંધી ગાયબ થઈ ગયા છે... અમને દંડાથી માર મારવામાં આવ્યો, મેં સાત દિવસ સુધી આસામ જેલનું ભોજન પણ ખાધું. સૈકિયા 1983થી 1985 અને 1991થી 1996 સુધી બે વખત આસામના CM રહ્યા.

Amit Shah
x.com/AmitShah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આસામમાં શાંતિ સ્થાપિત ન થવા દેવાનો આરોપ પણ લગાવ્યો હતો, પરંતુ PM નરેન્દ્ર મોદીએ તેને પુનઃસ્થાપિત કર્યું, માળખાગત સુવિધાઓ વિકસાવી અને પૂર્વોત્તર રાજ્યના યુવાનો માટે રોજગાર સુનિશ્ચિત કર્યો. તેમણે કહ્યું, 'છેલ્લા 10 વર્ષો દરમિયાન, આસામમાં 10,000થી વધુ યુવાનો શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે અને રાજ્યમાં શાંતિ પાછી આવી છે.'

Amit Shah
x.com/AmitShah

શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર આસામમાં તાજેતરમાં યોજાયેલી બિઝનેસ સમિટમાં પ્રસ્તાવિત 5 લાખ કરોડ રૂપિયાના રોકાણ ઉપરાંત 3 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાવશે. ગૃહમંત્રીએ કહ્યું, 'આસામમાં પોલીસ પહેલા આતંકવાદીઓ સામે લડવા માટે હતી, પરંતુ હવે તે લોકોને મદદ કરવા માટે છે અને આ કારણે છેલ્લા ત્રણ વર્ષમાં દોષસિદ્ધિ દર પાંચ ટકાથી વધીને 25 ટકા થયો છે. તે ટૂંક સમયમાં રાષ્ટ્રીય સરેરાશને વટાવી જશે.'

Amit Shah
x.com/AmitShah

આસામ અને મિઝોરમની ત્રણ દિવસની મુલાકાતે આવેલા શાહે એમ પણ કહ્યું કે, લચિત બરફૂકન પોલીસ એકેડેમી આગામી પાંચ વર્ષમાં ટોચની એકેડેમી બનશે, જેમાં વિવિધ તબક્કામાં કુલ રૂ. 1,050 કરોડનું રોકાણ થશે.

Top News

'સંતોષ' એક એવી ફિલ્મ જે ઓસ્કારમાં ગઈ, પણ ફિલ્મમાં એવું છે કે ભારતમાં લોકો નહીં જોઈ શકે

UK સ્થિત ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીએ સંતોષ નામની ફિલ્મ બનાવી. ભારતીય સમાજમાં પ્રવર્તતી જાતિવાદના કારણે થતા સડાને બહાર લાવતી ફિલ્મ....
Entertainment 
'સંતોષ' એક એવી ફિલ્મ જે ઓસ્કારમાં ગઈ, પણ ફિલ્મમાં એવું છે કે ભારતમાં લોકો નહીં જોઈ શકે

4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ

જયપુર-2ની જિલ્લા ગ્રાહક કોર્ટે વિમલ પાન મસાલાની જાહેરખબરમા દેખાતા બોલિવુડ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર...
National 
4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ

વિકસિત ભારત @2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ -2025નું આયોજન

સુરત, 26 માર્ચ 2025 – રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા...
Gujarat 
વિકસિત ભારત @2047 વિઝન અંતર્ગત વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ -2025નું આયોજન

બોલ એવી જગ્યાએ વાગ્યો છે કે... હિન્દી કોમેન્ટ્રી પર વિવાદ શરૂ થઈ? ફેન્સ કંટાળી ગયા, ભજ્જીએ...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચાલી રહેલી હિન્દી કોમેન્ટ્રી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં, એક...
Sports 
બોલ એવી જગ્યાએ વાગ્યો છે કે... હિન્દી કોમેન્ટ્રી પર વિવાદ શરૂ થઈ? ફેન્સ કંટાળી ગયા, ભજ્જીએ...

Opinion

આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ સાચી નિષ્ઠા સમર્પણ અને નિરાભિમાની વ્યક્તિત્વની...
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.