મહેશ કનોડિયાના નિધન બાદ PM નરેન્દ્ર મોદીએ કરી ટ્વીટ

નરેશ કનોડિયાના ભાઈ, પૂર્વ સાંસદ અને ગાયક મહેશ કનોડિયાનું આજે નિધન થયું હતું. તેમના નિધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી. PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મહેશ કનોડિયાના નિધનથી ખૂબ જ દુખ થયું. તેઓ એક બહુમુખી પ્રતિભાસંપન્ન ગાયક હતા, જેમને લોકોનો અપાર પ્રેમ મળ્યો. એક રાજનેતાના રૂપમાં પણ તેઓ ગરીબો અને પછાત વર્ગના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા હતા. હિતુ કનોડિયા સાથે મેં વાત કરી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

બીજી ટ્વીટમાં PMએ લખ્યુ હતું કે, ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ અને નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે ગાંધીનગરમાં નિધન થયું છે. મહેશ કનોડિયા છેલ્લા લાંબા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું છે. મહેશ કનોડિયા દેશ-વિદેશમાં મહેશ-નરેશના નામે અનેક મ્યુઝિકલ કાર્યક્રમો પણ આપી ચૂક્યા છે.

80 દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહેશ-નરેશ એવા ગુજરાતી સ્ટાર છે કે, જેમણે ભારત બહાર જઈને પણ સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે. મહેશ-નરેશની બેલડી આફ્રિકા, અમેરિકા તથા એશિયા જેવા દેશોમાં અનેક સ્ટેજ પ્રોગ્રામમાં પર્ફોમન્સ આપ્યું છે.

મહેશ કનોડિયાનો જન્મ મહેસાણાના કનોડા ગામમાં થયો હતો અને તેમના પિતા મીઠાભાઇ અને માતા દલીબેન વણાટ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. મીઠાભાઈને 7 સંતાનો હતા. જેમાં નરેશ કનોડિયા, શંકર કનોડિયા, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનો સમાવેશ થાય છે અને ત્રણ બહેનોમાં નાથીબેન, પાનીબેન અને કંકુબેનનો પણ સમાવેશ થાય છે.

ચાર ભાઈ અને ત્રણ બહેન હોવા છતાં પણ મીઠાભાઇ એક જ રૂમમાં રહેતા હતા. ગુજરાતી ફિલ્મ સંગીતકાર તરીકે ખ્યાતિ પામેલા મહેશ કનોડિયાએ પિતાની યાદગીરીના રૂપમાં હજી પણ તેમનું 1 રૂમવાળું મકાન રાખ્યું છે. મહત્ત્વની વાત છે કે, મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા નાની ઉંમરથી જ સ્ટેજ પ્રોગ્રામ શરૂ કર્યા હતા. છેલ્લા કેટલાક માહિલાઓથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર કહેવાતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાને પણ હતા. તેમણે અમદાવાદને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 20 ઓક્ટોબરના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.

Related Posts

Top News

દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના ઘરો અને કોર્મશિયલ પ્રોપર્ટીમાંથી કચરો ભેગો કરવા પર ચાર્જ વસુલવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ મિલકત...
National 
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે

ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષો પહેલા સાંગોદ/કોટા ખાતે સ્વર્ગસ્થ CRPF જવાન હેમરાજ મીણા અને બહાદુર મધુબાલાના લગ્ન સમારોહમાં હાજરી આપી...
National 
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી

સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?

દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 95000 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જેમણે સોનામાં રોકાણ કર્યું છે તેઓ ભાવ ઘટવાની...
Business 
સોનાનો ભાવ વધશે નહીં, નીચે જશે! નિષ્ણાતોના મતે 6 મહિનામાં સોનું 75,000 થશે, જાણો આવું કેમ કહ્યું?

USમાં ઇમિગ્રન્ટ્સ માટે નવા નિયમ લાગુ, H-1B વીઝા હોય કે ગ્રીન કાર્ડ, આ દસ્તાવેજો રાખવા પડશે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ દરેક ઇમિગ્રન્ટ, ભલે તે કાયદેસર વીઝા...
World 
USમાં ઇમિગ્રન્ટ્સ માટે નવા નિયમ લાગુ, H-1B વીઝા હોય કે ગ્રીન કાર્ડ, આ દસ્તાવેજો રાખવા પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.